અસમના આરોગ્ય મંત્રીએ કેન્સર જેવી ઘાતક બિમારીને લઇને એક વિવાદિત નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ''પૂર્વ જન્મના કરેલા પાપના કારણે લોકો કેન્સર જેવી ખતરનાક બિમારીથી પીડાય છે.'' આરોગ્ય મંત્રી હેમંત બિસ્વ શર્માના આ સંવેદનહિન વિવાદને બાદ ચારેય તરફથી લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
એક કાર્યક્રમમાં સૂબાના આરોગ્ય મંત્રી હેમંત બિસ્વ શર્માએ કહ્યુ કે ''જો આપણે પાપ કરીએ છીએ તો ભગવાને આપણને તેની સજા આપે છે. કેટલીક વખત એવા સમાચાર આવે છે કે કોઇ યુવાનને કેન્સર થયું કે કોઇ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. જો આ કારણોની પાછળ પણ તમને લાગશે કે દૈવીય ન્યાય કારણે આ શક્યુ થયું છે.''
તેમણે આગળ કહ્યુ કે ''જરૂરી નથી કે આ ભૂલ આપણે કરીએ. કેટલીક વખત સંભવ છે કે મારા માતા-પિતાની કોઇ ભૂલ કરે કોઇ પણ ભૂલ કરશે તો તેને દૈવીય ન્યાયથી નહી બચાવી શકાય. તો પરિણામ ભોગવવું પડશે. ગીતા અને બાઇબલમાં પણ તેનો ઉલ્લેખ છે કે દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે.''
આરોગ્ય મંત્રીના આ અજીબોગરીબ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસી નેતા દેબબ્રત સૈકિયાએ કહ્યુ કે ''આરોગ્ય મંત્રીનું આ પ્રકારનું નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્સર જેવી ખતરનાક બિમારીથી પીડિત લોકોની ભાવનાઓને દુ:ખ પહોંચાજવામાં આવ્યુ છે. તેમને આ નિવેદન પર સાર્વજનિક રીતે માફી માંગવી જોઇએ.''
તો બીજી તરફ કેન્સર પીડિત લોકો પણ આરોગ્ય મંત્રીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પીડિતોએ કહ્યુ કે આ દુ:ખદ વાત છે કે રાજ્યના સ્વાસ્થય મંત્રી તે બિમારીઓને વિશે નિવેદન આપી રહ્યા છે જેનું કારણ પહેલાથી વૈજ્ઞાનિક રૂપથી સ્પષ્ટ છે.