બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વિટામિન C થી ભરપૂર લીંબુ પાણી આ લોકોએ ન પીવું, શરીરમાં થઈ શકે અનેક સમસ્યા
Last Updated: 09:55 AM, 27 April 2024
ઉનાળો આવી ગયો છે અને આ ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે લોકો લીંબુ પાણી વધુ પીવે છે. ગરમીથી બચવા સિવાય, મોટાભાગના લોકો લીંબુ પાણી એટલા માટે પણ પીવે છે કારણ કે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. અલબત્ત, લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક લોકો માટે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. નિષ્ણાતો કહે છે કે વધુ પડતું લીંબુ પાણી સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.
મીડિયાના અહેવાલો પ્રમાણે, એક હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે એન્ટીએજિંગ હોય કે પછી વજન ઘટાડવાની વાત હોય, લોકો હંમેશા લીંબુ પાણી પર વિશ્વાસ કરે છે. લીંબુમાં વિટામિન સી, ઝિંક અને ફોલિક એસિડ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દરેક સારી વસ્તુના નુકસાન પણ હોય છે. આ જ નિયમ લીંબુ પાણી પર પણ લાગૂ થાય છે. ચાલો જાણીએ કે કયા લોકોએ લીંબુ પાણી ન પીવું જોઈએ -
નિષ્ણાતોનું કહેવું છે કે રોજ વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી દાંત પર પણ ખરાબ અસર થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડની માત્રા વધુ હોય છે, તેથી તમારા દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા થઈ શકે છે. વધુ પડતા લીંબુ પાણીથી દાંતના ઈનેમલને પણ અસર થાય છે.
જે લોકોને પહેલાથી જ ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી એસિડિટી વધવાનું જોખમ હોય છે. જેમને એસિડિટીની સમસ્યા હોય તેમણે ખાલી પેટ લીંબુ પાણી ન પીવું જોઈએ.
જો કોઈને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો પણ તેણે ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આ કારણે તમારી કિડની પર વધારાનું દબાણ આવી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે ક્રોનિક કિડની રોગથી પીડિત લોકોએ ખાલી પેટ લીંબુ પાણી પીવું જોઈએ નહીં.
આ સિવાય વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે. તેમાં ટાયરામાઈન નામનું એમિનો એસિડ મળી આવે છે, જેના કારણે લોહી આપણા મગજ સુધી ઝડપથી પહોંચે છે અને માઈગ્રેન સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ