બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વિટામિન C થી ભરપૂર લીંબુ પાણી આ લોકોએ ન પીવું, શરીરમાં થઈ શકે અનેક સમસ્યા

આરોગ્ય / વિટામિન C થી ભરપૂર લીંબુ પાણી આ લોકોએ ન પીવું, શરીરમાં થઈ શકે અનેક સમસ્યા

Last Updated: 09:55 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડી વસ્તુઓ ખાવા લાગે છે. કેટલાક લોકો ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે ફ્રુટ જ્યૂસ, શરબત, લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનરલ જેવા ઘણા પોષક તત્વો હોય છે. પરંતુ આને વધારે પીવાથી નુકસાન પણ થઈ શકે છે.

ઉનાળો આવી ગયો છે અને આ ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે લોકો લીંબુ પાણી વધુ પીવે છે. ગરમીથી બચવા સિવાય, મોટાભાગના લોકો લીંબુ પાણી એટલા માટે પણ પીવે છે કારણ કે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. અલબત્ત, લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક લોકો માટે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. નિષ્ણાતો કહે છે કે વધુ પડતું લીંબુ પાણી સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.

lemon-water

મીડિયાના અહેવાલો પ્રમાણે, એક હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે એન્ટીએજિંગ હોય કે પછી વજન ઘટાડવાની વાત હોય, લોકો હંમેશા લીંબુ પાણી પર વિશ્વાસ કરે છે. લીંબુમાં વિટામિન સી, ઝિંક અને ફોલિક એસિડ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દરેક સારી વસ્તુના નુકસાન પણ હોય છે. આ જ નિયમ લીંબુ પાણી પર પણ લાગૂ થાય છે. ચાલો જાણીએ કે કયા લોકોએ લીંબુ પાણી ન પીવું જોઈએ -

દાંતને નુકસાન -

નિષ્ણાતોનું કહેવું છે કે રોજ વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી દાંત પર પણ ખરાબ અસર થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડની માત્રા વધુ હોય છે, તેથી તમારા દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા થઈ શકે છે. વધુ પડતા લીંબુ પાણીથી દાંતના ઈનેમલને પણ અસર થાય છે.

lemon-water-vtv

એસિડિટી હોય -

જે લોકોને પહેલાથી જ ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી એસિડિટી વધવાનું જોખમ હોય છે. જેમને એસિડિટીની સમસ્યા હોય તેમણે ખાલી પેટ લીંબુ પાણી ન પીવું જોઈએ.

કિડની પર અસર -

જો કોઈને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો પણ તેણે ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આ કારણે તમારી કિડની પર વધારાનું દબાણ આવી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે ક્રોનિક કિડની રોગથી પીડિત લોકોએ ખાલી પેટ લીંબુ પાણી પીવું જોઈએ નહીં.

વધુ વાંચો: એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો

આ સિવાય વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે. તેમાં ટાયરામાઈન નામનું એમિનો એસિડ મળી આવે છે, જેના કારણે લોહી આપણા મગજ સુધી ઝડપથી પહોંચે છે અને માઈગ્રેન સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ