પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પટના વિશ્વ વિદ્યાલયના શતાબ્દી સમારોહમાં ભાગ લેવાના છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ સતપાલ મલિક અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ ઉપસ્થિત રહેશે. આ સિવાય કેન્દ્રીય મંત્રીઓમાં રામવિલાસ પાસવાન રવિંશકર પ્રસાદ ઉપેન્દ્ર કુશવાહા અને અશ્વિની કુમાર ચૌબે પણ આ સમારોહમાં ભાગ લેશે.
મોદીના આગમનની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. અને વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ મોદીના આગમનથી ઘણી જ ખુશ જોવા મળી હતી.