શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં નિયંત્રણ રેખા પાસે ભારતીય ચોકીઓ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરીને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
મળતી જાણકારી અનુસાર આ ફાયરિંગમાં એક અધિકારી ઇજાગ્રસ્ત થયા છે. શનિવારની સાંજે રાજોરીના નૌશેરા સેક્ટરના ભવાની વિસ્તારમાં નિયંત્રણ રેખા પાસે આવેલી ચોકીઓ પર પાકિસ્તાની જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સેનાનો એક અધિકારી ઇજાગ્રસ્ત થતો તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે આજે સવારના સમયે સેનાએ આતંકીઓ પર ડબલ એટેક કર્યો હતો જેમાં કુલ 5 આતંકીઓનો ઠાર થયો હતો અને એક આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો હતો.