કોમેડિયન કપિલ શર્મા પાસે લાંચ માંગવામાં આવતા તે ખૂબ જ નારાજ થયો છે. તેમણે સિસ્ટમ પર સવાલ ઉઠાવતા પીએમ મોદીને સકંજો કસ્યો છે. કપિલનું માનીએ તો મુંબઈમાં તેની ઓફિસ બનાવવાની બાબતમાં પેપરવર્ક કાર્યવાહી માટે બીએમસીના અધિકારીઓએ 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.
બધાને હસાવનારા કપિલ શર્માએ લાંચ માંગવામાં આવતા ટ્વીટર પર નારાજ થઈને પીએમ મોદીને સીધેસીધો સવાલ પૂછ્યો હતો કે 'આ છે તમારા અચ્છે દિન.' કપિલ શર્માએ આ બાબતે ટ્વી કરી હતી.