મુંબઇઃ મહારાષ્ટ્રના મજબૂત નેતા નારાયણ રાણેએ કોંગ્રેસને અલવિદા કર્યા બાદ નવી પાર્ટીનું એલાન કરી દીધું છે. તેમણે રવિવારના રોજ પોતાની નવી પાર્ટીનું 'સ્વાભિમાન પક્ષ' નામ રાખ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાણે એનડીએનો ભાગ બની શકે છે અને રાજ્યની ફડણવીસ સરકારમાં મંત્રી પણ બની શકે છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પહેલા રાણે ભાજપમાં જોડાવાના એંધાણ હતા. આ વચ્ચે તેમણે કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સદસ્યતા સાથે જ પરિષદ સદસ્યતાથી પણ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ દિલ્લી જઇ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.