મુંબઇના નાયર હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે.હોસ્પિટલમાં પોતાની માતાનું MRI કરાવવા ગયેલા રાજેશ મારૂ નામના યુવકનું મોત થયું છે.માતાની સારવાર કરાવવા ગયેલા રાજેશનું MRI મશીનમાં ફસાતા મોત થયું છે.
પોતાની માતાનું MRI કરાવવા ગયેલા રાજેશને વોર્ડ બોયે ઓક્સીજન સિલેન્ડર MRI રૂમમાં લાવવા માટે કહ્યું.પરિવારે વિરોધ કરતા વોર્ડ બોયે મશીન બંધ હોવાની વાત કરી હતી.રાજેશ જ્યારે સિલિન્ડર લઇને રૂમમાં દાખલ થયો.
MRI મશીને તેને અંદર ખેંચી લીધો હતો.અને ત્યારબાદ ઓક્સીજન સિલિન્ડર ખુલી જતાં તેના શરીરમાં ઓક્સીજન જવાથી તેનું મોત થયું.ગંભીર સ્થિતિમાં રાજેશને સારવાર માટે ભરતી કરવામાં આવ્યો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.ઘટનાની જાણ થતાં અગ્રિપાડા પોલીસ ઘટનાસ્થળે પહોચી છે.અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
મુંબઇની જાણીતી નાયર હોસ્પિટલમાં બનેલ આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો સંભાળ્યો હતો જો કે મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ થતાં દવાખાને આવી પહોંચ્યા હતા અને આ ઘટનાનો આરોપ મુકતા જણાવ્યું હતુ કે આ ઘટના દવાખાનાની બેદરકારીને લીધે બની છે.જો કે પોલીસે આ વાતની ગંભીરતાથી નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.