મોરબીમાં હળવદમાં વિદ્યાર્થીઓને માર માર્યાનો મામલો સામે આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે હળવદની સરદાર પટેલ વિદ્યાલયના ગૃહપતિ અને શિક્ષકે પરીક્ષામાં માર્ક ઓછા આવતા ત્રણ વિદ્યાર્થીઓને માર માર્યો છે.
જેના પગલે વિદ્યાર્થીઓને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે.તો આ સમગ્ર મામલે વાલીઓ દ્વારા હળવદ પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હળવદ ખાતે આવેલી સરદાર પટેલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાની આંતર પરિક્ષા હતી જેના રિઝલ્ટ આવતા એક વિદ્યાર્થીને ઓછા માર્ક આવતા તેની હોસ્ટેલના ગૃહપતિ તે વિદ્યાર્થી પર ગુસ્સે ભરાય હતા.અને ઢોર માર્યો હતો.
આ ઘટનાને પગલે તે વિદ્યાર્થીને મોટી ઇજા પહોચતા તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને તેના વાલીએ ગૃહપતિ સામે પોલીસમાં અરજી પણ કરી હતી. આ બનાવને કારણે સમગ્ર પંથકમાં રોષની લાગણી જોવા મળી હતી અને વિદ્યાર્થીઓને ખોટી રીતે કનડગત કરતા સંચાલકો અને ગૃહપતિ સામે કાયદાકિય પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી હતી.