મુંબઇઃ ગણેશ ચતુર્થી મુંબઈકરો માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે. ત્યારે શહેરના સૌથી પ્રખ્યાત એવા લાલબાગચા રાજાની સ્થાપના કરી દેવામાં આવી છે. તો ભાવિક ભક્તો પણ બાપ્પાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. લાલબાગચા રાજાના દર્શન કરવા માટે મુંબઈકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. લાલબાગચા રાજાના પંડાલમાં બાપ્પા મોરિયાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે. 10 દિવસ સુધી ભ~તો બાપ્પાની સેવા પૂજા અને અર્ચના કરશે.