આજે ગુજરાત વિધાનસભાનો બીજો તબક્કો છે. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતુ. આ સાથે ગુજરાત ભાજપના અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મતદાન કરવા ચુંટણી મથક પર આવી પહોંચ્યા હતા.
ત્યારે આજે કોંગ્રેસના ભુતપુર્વ દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે કર્યુ હતું.
મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. અને રાહુલને નવી જવાબદારીની શુભેચ્છા આપતા જણાવ્યું હતુ કે રાહુલ ગાંધી એકદમ સારા માણસ છે.
હું તેમને અધ્યક્ષ થવાની શુભકામનાઓ પાઠવું છું. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને નવી દિશા મળશે. પરંતુ તેમણે સારા એડવાઇઝર પસંદ કરવા જોઇએ.
બાપુએ જણાવ્યું હતુ કે આ પહેલાં કોંગ્રેસ માં બે પાવર સેંટર હતા. હવે એક થયું.જો રાહુલ ગાંધી જો સારા સલાહકાર રાખશે તો આવનારા સમયમાં કોંગ્રેસ ચોક્કસ સારૂં કામ કરી શકશે.
ઉલ્લેનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યુ છે. શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરના વારણ ગામમાં મતદાન કર્યુ. આ દરમિયાન શંકરસિંહ પ્રતિક્રિયા આપી છે કે ગુજરાતનુ ભવિષ્ય EVMમાં સીલ થઈ રહ્યુ છે.
આ લડાઈ ભાજપ કોંગ્રેસ કરતા મતદારો કરતા ગુજરાતની જનતાને પોતાના ભવિષ્યનુ એક નવુ નિર્માણ કરવાની તક છે. ત્યાર બાદ તેમણે કહ્યુ ચૂંટણીના સમયે દારૂ પીધેલા નેતાઓ પકડાઈ રહ્યા છે અને તે ખુબ જ શરમજનક વાત છે.