જકાર્તાઃ ઇંડોનેશિયામાં શુક્રવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 નોંધાઇ છે. આ ભૂકંપના કારણે એકનું મોત થયું છે. આ આંચકા ઇંડોનેશિયાની રાજધાની જકાર્તા અને દેશના સૌથી વધુ વસ્તીવાળા ટાપુ જાવામાં અનુભવાયા છે.
ભૂકંપના આંચકામાં અનેક ઇમારતોને નુકસાન થયું છે. ભૂકંપનું કેન્દ્ર 91 કિમી જમીનની નીચે હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપ બાદ તંત્રએ જાવાના દરિયાઇ ક્ષેત્રના અનેક વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.