જામફળમાં મોટા પ્રમાણમાં વિટામિન C હોય છે. જામફળમાં પેક્ટિનની માત્રા પણ ખૂબ વધારે હોય છે. બીજ સાથે જામફળ ખાવાથી અનેક લાભ મળે છેજેના કારણે પેટ સાફ રહે છે. આ ઉપરાંત જામફળ ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.
જામફળ હાઇ એનર્જી ફ્રૂટ છેજેમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મીનરલ્સ હોય છે. આ તત્વ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.
હ્રદયના સાથી ગણાતા જામફળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હ્રદય અને માંસપેશિયોને સ્વસ્થ રાખીને આપણને બીમારીઓથી દૂર રાખે છે.
જો તમે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માંગતા હોય તો જામફળનું સેવન કરવાથી ઘણા લાભ મળશે.
જામફળનું નિયમિત સેવન કરવાથી શરદી-ખાંસી જેવી સમસ્યાનું જોખમ ઘટી જાય છે.
જામફળમાં રેહલું વિટામિન A અને E આંખવાળ અને ત્વાચને પોષણ આપે છે
જામફળમાં રહેલા લોઇકોપીન નામના ફાઇટો ન્યુટ્રિએન્ટ્સ શરીરને કેન્સર અને ટ્યુમરના જોખમથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
જામફળમાં બીટા કેરોટીન હોય છે જે શરીરને ત્વચા સાથે સંબંધિત બિમારીઓથી બચાવે છે.
જામફળનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
જામફળમાં ફાઇબરની માત્રા ખૂબ વધારે હોય છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ ખૂબ જ લાભદાયક છે.
જામફળ મેટાબોલિઝમને જાળવી રાખે છેજેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે.