મુંબઇઃ રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એક મોટો વિભાગ મહિનાની અંદર બંધ થનાર છે. અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશને નિર્ણય કર્યો છે કે તેઓ પોતાના 2જી વાયરલેસ બિઝનેસને બંધ કરશે. કંપનીના 2જી વાયરલેસ બિઝનેસમાં સતત ખોટમાં ચાલી રહી છે. કંપનીએ આ નિર્ણયથી અંદાજિત 1200 કર્મચારીઓની નોકરી તો જશે જ તેમની રોજી-રોટી પણ સંકટમાં મુકાશે. કંપનીએ મંગળવારે જ પોતાના કર્મચારીઓને સૂચના આપી દીધી છે કે 30 નવેમ્બરે તેમની નોકરી નો છેલ્લો દિવસ છે. તેથી જેમની નોકરી જશે તેમને ફરી નોકરી મળવમાં ઘણી મુશ્કેલી પડશે.
રિક્રૂટર્સનું કહેવું છે કે કંપનીના આ આકરા નિર્ણયથી સૌથી વધુ તકલીફ તેમના કર્મચારીઓને થશે જેમનો અનુભવ 8થી વધુનો છે. જો કે એ પણ સ્પષ્ટ છે કે જૂનિયર લેવલના કર્મચારીઓને પણ આ આકરા નિર્ણયનો ભોગ બનવું પડશે. તેઓને પણ નોકરી મળવામાં તકલીફો પડશે.
સર્ચ ફર્મ ઇએમએ પાર્ટનર્સ એ રામચંદ્રને કહ્યું છે કે આવા સંજોગોમાં નોકરી મળવી એક મોટો પડકાર છે. તેવામાં કર્મચારીઓને જે મોકો મળે તેને હાથથી ન જવા દેવો જોઇએ. કંપનીના કર્મચારીઓને ડિમાન્ડ-સપ્લાઇના એક મોટા ગાળાનો સામનો કરવો પડશે. કંપનીમાં અંદાજિત 3000 કર્મચારીઓ કામ કરે છે અને કંપનીના આ આકરા નિર્ણય બાદ 1000થી 1200 કર્મચારીઓને આનાથી ઘણી અસર પડશે.