ગઢડાના PSI દ્વારા કરેલ સ્કુલ બસને ડિટેઇન મામલે વિધાર્થીઓ અને આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. પાંચ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.
ગઢડાના રામપરા ગામે આવેલ શાળામાં આચાર્ય અને બસ સંચાલક વચ્ચે ભાડાની બાબતે બોલાચાલી થઇ હતી. જેથી આચાર્યએ બસના સંચાલક વિરૂદ્વ ફરજમાં રૂકાવટની ગઢડા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી. PSIએ શાળામાં જતી બંને બસોને અટકાયત કરી હતી. જેથી વિધાર્થીઓને સ્કુલ બગડતા વાલીઓમાં રોષ ફેલાયો હતો.