જામનગર: જામનગર જીલ્લાના જામખંભાળિયાના દાંતા ગામે જૂથ અથડામણમાં બે લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતાં. બે જુથ વચ્ચે થયેલ આ જુથ અથડામણને પગલે એક જુથના યુવકની હત્યા કરવામાં આવતા મામલો વધુ બિચકાયો હતો.
તાજેતરમાં મળેલ એક એહેવાલ મુજબ એક યુવાને ઇજા પહોંચતા તેને નજીકના દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતો. આ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજતા પરીવારમાં શોકનુ મોજુ ફી વળ્યુ હતુ. આ અથડામણમાં ઇજા પહોંચતા તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ અથડામણ પાછળ ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને ચાલતો વિવાદ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.