મુંબઇ: મુંબઇમાં પરેલ અને એલફિંસ્ટન રેલવેની વચ્ચે રહેલા ફુટઓવર બ્રિજ પર મોટી ઘટના બની ગઇ છે. ઘટનામાં 22 થી વધારે લોકોના મોત થયા છે. 2 ડઝનથી વધારે લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર છે અને રાહદત બચાવ કાર્ય ચાલી રહી છે.
વર્ષોથી આ ફુટઓવર બ્રિજને દુરુસ્ત કરવા અને આ પુલ પર ભીડના ભારને ઓછો કરવાની અવાજ ઊઠતો રહ્યો છે પરંતુ રેલવે એનો કોઇ ઉકેલ લાવતી નથી. રેલમંત્રાલયનું પદ સંભાળ્યા બાદ પહેલી વખત આજે રેલમંત્રી લોકલ ટ્રેનમાં સફર કરવાના હતા.
રેલમંત્રીએ ઘટના વાળા રૂટ પર જ લોકલ ટ્રેનમાં સફર કરવાની યોજના હતી. પરંતુ ઘટના બાદ એમના કાર્યક્રમને લઇને સૂચના આપવામાં આવી નથી. તાજેતરમાં જ આ સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી સ્ટેશન કરવામાં આવ્યું હતું.