વૈવાહિક જીવનમાં બેડરૂમનું વિશેષ મહત્વ છે.બેડરૂમ એક એવી જગ્યા છે. જ્યાં પતિ-પત્ની પોતાના જીવન સાથે જોડાયેલી તમામ વાતો મન ખોલીને કરી શકે.પરંતુ આ સ્થળે કેટલીક ચીજવસ્તુઓનું હોવુ અશુભ માનવામાં આવે છે.
-દંપતિએ પોતાના બેડરૂમમાં ભુલથી પણ અરિસો ના રાખવો જોઇએ જે દંપતિના મધુર સંબંધમાં ખટાશ ઉભી કરે છે.
-લગ્ન થયાંના થોડા દિવસોમાં TVનો ઉપયોગ કરવાનું ટાળવુ જોઇએ.આ બંનેના જીવનમાં તણાવ ઉભો કરે છે.
- વિવાહિત લોકોએ પોતાના બેડરૂમમાં કોમ્યુટરનો ઉપયોગ ના કરવો જોઇએ કે રાખવું જોઇએ.
- જો બેડરૂમમાં ડ્રેસીંગ ટેબલ રાખવું ફરજીયાત હોય તો તેને ઉત્તર અથવા પુર્વ દિશામાં રાખવું જોઇએ.
-બેડરૂમની અંદર વડિલો અને ઘરડાંઓની તસ્વીરો ક્યારેય ના લગાડવી જોઇએ.નહીંતર દંપતીના જીવનમાં નિરસતા લાવશે.
-નવયુગલોએ પોતાના રૂમમાં કોઇ હિંસાત્મક તસ્વીરો ના લગાવવી જોઇએ.નહીંતર પતિ-પત્નીના ઝઘડાં વધશે.
-કોઇપણ પ્રકારના હિંસક પશુઓની તસ્વીરો લગાડવાથી દંપતિના જીવનમાં કડવાશ થઇ શકે છે.