ને ભારતને એક વખત ફરી ધમકી આપી છે. ચીને કહ્યુ કે જો ડોકલામથી ભારતે પોતાના લશ્કરને દૂર કરવામાં નહી આવે તો યુદ્ધ થઇને રહેશે. એટલું જ નહીં ચીને આને છેલ્લી ચેતવણી જણાવી છે.
ચીનના સરકારી અકબાર ગ્લોબલ ટાઈમ્સ પર રજૂ કરવામાં આવેલા આશરે દોઢ મિનિટના વીડિયોમાં ગ્લોબલ ટાઈમ્સના સંપાદકે જણાવ્યું કે નવી દિલ્હી આજે પણ 1962ની જવાહરલાલ નેહરુ સરકારની જેમ અનુભવહીન છે. ગ્લોબલ ટાઈમ્સના સંપાદકે વધુમાં કહ્યું કે ભારત પોતાને વિપરિત સ્થિતિમાંથી બહાર કાઢવા પ્રયાસ નથી કરી રહ્યું પરંતુ દેશની જનતાને ‘બધું ઠીક થઈ જશે’ તેવું આશ્વાસન આપે છે.
આ સંદેશામાં ગ્લોબલ ટાઇમ્સ એડિટર હૂ જિજને 1962 ના યુદ્ધની પણ ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું હતું કે 'જે અનુભવહીન નેહરુએ 62માં કર્યુ હતુ તે જ ભારત આજે કરી રહ્યું છે.' ચીને પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા યુદ્ધની ધમકી આપી છે. સરકારી સમાચાર ગ્લોબલ ટાઇમ્સે કહ્યું છે કે ભારતની સલામતી એજન્સીઓ તેમની ક્ષમતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્યને નથી જણાવી રહી છે અને તેમને અંધરામાં રાખી રહી છે.
સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે ભારત આજે પણ તે અજાણતાં કરી રહ્યું છે જે નેહરુ દ્વારા 1962માં કરવામાં આવી હતી. અખબારમાં વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પોતાની ક્ષમતાઓને લઇને મોદીને અંધારામાં મૂકવામાં આવ્યા હતા.
ચીન અને ભૂટાન વચ્ચે ડોકલામ એખ વિવાદિત ક્ષેત્ર છે. ભારત અને ભૂટાન તેને ભૂટાનનો વિસ્તાર માને છે. ડોકલામમાં 16 જૂને ચીન સેના દ્વારા માર્ગ નિર્માણ મુદ્દે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે લાંબા સમયથી ટેન્શન છે. ડોકલામ પર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે કોઇ નિર્ણય નહી લેવાયો હોવાનો હવાલો ટાંકતા ભારતીય સૈનિકોએ અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.