આઇ.કે.જાડેજાના સમર્થકોએ આપેલા ધ્રાંગધ્રા બંધનુ એલાન પાછુ ખેંચાયું છે.આઇ.કે.જાડેજાના ધ્યાને આ મામલો આવતા સમર્થકોને બંધનું એલાન પાછું ખેચવાની સુચના આપવામાં આવી છે.
ભાજપના દિગ્ગજનેતા આઇ.કે.જાડેજા સુરેન્દ્રનગર-વઢવાણ બેઠકમાટે આગામી ચુંટણીને લઇને પ્રબળ દાવેદાર હતા ત્યારે તાજેતરમાં ભાજપે જાહેર કરેલ પ્રથમ યાદીમાં સુરેન્દ્રનગરના મેક્સન કંપનીના માલીક અને ઉદ્યોગપતિ ધનજીપટેલનું નામ જાહેર થતાં જ સુરેન્દ્રનગરના વાતાવરણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો.
આઇ.કે.જાડેજાના સમર્થકો ગઇકાલે ગાંધીનગર ખાતે આવેલ તેમના બંગલા ખાતે પહોંચી ગયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે આઇ કે જાડેજા એક સમયે નરેન્દ્ મોદી સરકારમાં કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચુકેલા છે તથા ભાજપના પ્રવક્તા પણ રહી ચુક્યા છે ત્યારે આ વખતે તેઓ વઢવાણ વિધાનસભા માટે પ્રબળ દાવેદાર હતા પરંતુ તેમનું પત્તુ કપાયુ હતુ.
આ ઘટનાને પગલે આઇ.કે.જાડેજાના સમર્થકો નારાજ થતા તેમણે ધ્રાંગધ્રા બંધનું એલાન આપ્યુ હતુ પરંતુ આઇ.કે.જાડેજાની સુચનાને પગલે સમર્થકોએ બંધ પાછુ ખેંચ્યુ હતુ.