ગાંધીનગર: દલિત સમાજના આગેવાન ભાનુભાઈનુ મોત નિપજતા દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દલિત સમાજના લોકો દ્વારા સરકાર પાસેથી માંગણીઓ કરવામાં આવી રહી છે.
દલિત સમાજ દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે કે ભાનુભાઈને શહીર જાહેર કરીને ભાનુભાઈનુ મેમોરીયલ ટ્રસ્ટ બનાવવામાં આવે. ભાનુભાઈને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે. આ મામલે સરકારે SITની રચના કરીને જવાબદાર IPS અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ. ભાનુભાઈના પરિવારજનોને 50 લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ. દલિતોની જમીનો પરના સરકારે દબાણો દૂર કરવા જોઈએ અને સરકારે 2 મહિનામાં અનૂસૂચિત જાતિના લોકોને ગ્રાંટ આપવામા આવી જોઈએ.
સરકારે અનૂસૂચિત જાતિના લોકો માટે નિષ્ણાંત અધિકારીઓને નિમણૂંક કરવા જોઈએ અને આ અધિકારીઓ અહેવાલ તૈયાર કરીને વિધાનસભામાં રજૂ કરવામાં આવવો જોઈએ. આ ઉપરાંત સરકાર દ્વારા જમીન દબાણ માટેની યોજનાઓને ફરી શરૂ કરવી જોઈએ. આ યોજનાઓને વીર શહીદ ભાનુભાઈનુ નામ આપવુ જોઈએ.
સરકારની જાહેરાત
સમગ્ર ઘટનાની તપાસ પંચ અથવા એસઆઇટી જે પરિવારજનો નિર્ણય કરશે તેની રચના કરવામાં આવશે.
દુદખાની જે જમીન 1955માં તે વખતની સરકારે ખાલસા કરી હતી તેનો કબજો તો અરજદાર પાસે છે. તેના 7-12માં તેમના પરિવારજનોના નામ દાખલ કરવા ખાસ કિસ્સામાં કાર્યવાહી કરાશે.
ભાનુભાઇના પરિવારજનો સરકારી કર્મચારી છે તેમની માગણી પ્રમાણે ખાસ કિસ્સામાં બદલી કરવામાં આવશે
એટ્રોસિટી એક્ટ મુજબ ભાનુભાઇના પરિવારજનોને મળવાપાત્ર કુલ 8 લાખ પૈકી નિયમ પ્રમાણેના પ્રથમ તબક્કાના 4 લાખ રૂપિયાની સહાય સત્વરે ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રીએ અગાઉ કરેલી જાહેરાત મુજબ તેમની સારવારનો તમામ ખર્ચ સીધો એપોલો હોસ્પિટલને ચૂકવી દેવાશે.