અમદાવાદઃ પાસના કન્વીનર હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ નોંધાયો છે. આ કેસમાંથી મુક્ત થવા માટે હાર્દિક પટેલે અરજી કરી હતી. ત્યારે હવે સેશન્સ કોર્ટ હાર્દિકની અરજી ફગાવી છે.
કોર્ટે સાક્ષીઓના નિવેદન લઈને હાર્દિકની અરજી ફગાવી છે. ત્યારે હવે આગામી સુનાવણી 21 માર્ચે હાથ ધરાશે. મહત્વનુ છે કે પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો.
આ મામલે હાર્દિક દિનેશ કેતન અને ચિરાગ સામે ગુનો નોંધાયો હતો. કેતન પટેલને કોર્ટે ડિસ્ચાર્જ કરીને સરકારના સાક્ષી બનાવ્યા છે. ત્યાર બાદ આ કેસમાંથી મુક્ત થવા હાર્દિકે અરજી કરી હતી.