અમદાવાદઃ સુરત બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નરોડામાં ભવ્ય રોડશો યોજયો. ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડશોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. નરોડાના રૂટ પર મુખ્યમંત્રીનો રોડશો યોજાયો હતો. બીજી તરફ મુખ્યમંત્રીએ નરોડા કોંગ્રેસના કાર્યાલયથી કોંગ્રેસના કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું.
મહત્વનું છે કે સીએમ રૂપાણીના સુરતના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સુરતના લોકો ભાજપને પસંદ કરે છે.
સાથે જ રૂપાણીએ પૂર્વ પીએમ મનમોહન સિંહની સરખામણી ફૂટેલી તોપ સાથે કરી હતી. જો કે વીટીવી સાથે વાત કરતા વખતે રૂપાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવેલા હોબાળા મામલે વાત કરવાનું ટાળ્યું હતું.