જામનગર : જામનગર મહાનગર પાલિકાના પ્રાંગણમાં વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા માટલાફોડ કાર્યક્રમ આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પાલિકાના વોર્ડનં.16માં અમુક વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું શુદ્ધ પાણી આપવામાં ભાજપશાશિત પાલિકાના સત્તાધીશો નિષ્ફળ ગયા છે.
જેના કારણે વોર્ડનં 16ના રહીશોને હાલાકી પડી રહી છે.નાગરિકોનો રોષ ભભૂકી ઉઠતા મહાનગર પાલિકાના પરિસરમાં જઈને સુત્રોચ્ચાર કરી તંત્રને આવેદન પાઠવ્યું હતું. અને માટલાફોડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એટલું જ નહી તંત્રને 3 માસમાં પાણીની સમસ્યાનો અંત લાવવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું.