ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પ્રેસકોંફ્રેંસ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. સાથે જ તેમણે પીએમ મોદીની આગામી ગુજરાતની મુલાકાત અંગે પણ જાણકારી આપવામાં આવી છે.
કોંગ્રેસ પર આરોપ લગાવતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે 22 વર્ષ પહેલા કોંગ્રેસના શાસનમાં ગુંડાગીરી અને રમખાણ થયા હતા. ભૂપેન્દ્ર યોદવે પીએમ મોદી 1 ડિસેમ્બરે મહિલાઓ સાથે સીધો સંવોદ કરવાના છે. જેની જાણકારી આપી હતી.
NAMO APP દ્વારા મહિલાઓ સાથે 4.30 કલાકથી 5 વાગ્યા સુધી પીએમ મોદી સીધો સંવાદ કરવાના છે. પીએમ મોદી 3 ડિસેમ્બરે ફરી ગુજરાતની મુલાકાત લેવાના છે. તેની જાણકારી પણ ભૂપેન્દ્ર યોદવે આપી હતી. ભરૂચ અને સુરેન્દ્રનગરમાં પીએમ મોદી કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલકાતે આવવાના છે. ત્યારે તેઓ અનેક સભાઓ સંબોધશે. અને કેટલાક સ્થળોની મુલાકાતો લેવાના છે.