નર્મદાઃ ભાજપના ઉમેદવારોની યાદીમા નાંદોદ વિધાનસભા બેઠક પરથી શબ્દ શરણ તડવીનું નામ જાહેર થતા જ વિરોધનાં વંટોળ શરુ થઈ ગયા છે. જે અંતર્ગત રાજપીળામાં ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જ્યાંથી ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવા પસાર થયા હતા.
વિરોધ ન કરવા લોકોને સમજાવતા હતા ત્યારે તેમની વાત ન સાંભળતા એક ફોજીએ તેમના લમણે રિવોલ્વર તાંકી દીધી હતી. મનસુખ વસાવાની વાત કોઈએ ન સાંભળતા તેઓને ત્યાંથી ચાલ્યા જવાની ફરજ પડી હતી.
ત્યારબાદ આ સમગ્ર મામલે મનસુખ વસાવાએ એસપી.નર્મદને લેખીતમાં પત્ર લખીને ફરીયાદ કરતા તમામ બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.