આજે ભાદરવી પૂનમના દિવસે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ ભખ્તોનું ઘોડાપૂર ઉમટયું છે. ભાવિક ભક્તો પદયાત્રા કરી ભગવાનના દર્શન કરી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી રહ્યા છે. વહેલી સવારથી શામળાજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી છે.
દૂરદૂરથી ભક્તો પરંપરાગત રીતે ચાલીને ભગવાન શામળિયાના દર્શન માટે આવે છે. અહીં ભાદરવા મહિનાની પૂર્ણિમાએ પગપાળા ચાલીને ભગવાનના દર્શન કરવાથી આજથી શરૂ થતાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન દેવલોક પામેલા પિતૃઓને મોક્ષ મળે તે માટે મોક્ષ આપનાર અધિષ્ટતા શામળિયા ભગવાનને પ્રાર્થના કરે છે.