સાંભળીને થોડું વિચિત્ર જરૂર લાગશે પરંતુ તમે ક્યારેકને ક્યારેક તમારા ઘરમાંથી ગરોળી ભગાડવા માટે મહેનત કરી જ હશે. ઘરમાં મોરની પાંખો અને કપૂર પણ ગરોળી ભગાડવા માટે ઘણી વખત કામમાં નથી આવતાતો આ ઘરેલૂ નુસ્ખાથી તમારું ટેન્શન જરૂર દૂર થઇ જશે.
એક બોટલમાં કાંદાના રસમાં થોડા ટીપાં લસણના રસને ભેળવી લો. આ રસમાં થોડું પાણી નાખીને બોટલને બંધ કરીને તેણે સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તમારા ઘરમાં જ્યાં સૌથી વધારે ગરોળી આવે છે ત્યાં આ રસ છટંકાવ કરોઆમ કરવાથી ઘરમાં ગરોળી નહી આવે. આ સિવાય કાંદાની લાંબા-લાંબા કાપીને ઘરના જે ખૂણામાં ગરોળી આવતી હોય તે ખૂણામાં લટકાવવાથી પણ ગરોળી નહી આવે
આ સિવાય ઘરના જે-જે ખૂણામાં સૌથી વધારે ગરોળી આવી છે ત્યાં લસણની કળી મૂકી દો. આમ કરવાથી ગરોળી ઘરથી દૂર રહેશે.
આ સિવાય તમે ગરોળીને ભગાડવા માટે કાળી મરીના સ્પ્રેનો ઉપોયગ કરી શકો છે. આ સ્પ્રે બનાવવા માટે તમારે કાળા મરી પાઉડરને પાણી સાથે મિક્સ કરીને બોટલમાં ભરવું પડશે. ત્યારબાદ કાળા મરીનું આ પાણી ઘરના દરેક ખૂણામાં છાંટી દો.