નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહેન્દ્રસિંહ ધોનીના નામની ભલામણ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર માટે કરી છે. બીસીસીઆઇએ આ ભલામણ ધોની દ્વારા ક્રિકેટમાં કરવામાં આવેલા યોગદાન માટે કરી છે.
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે બોર્ડે આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે માત્ર ધોનીના નામની ભલામણ કરી છે. જો ધોનીને પદ્મ ભૂષણને સમ્માનિત કરવામાં આવે છે તો દેશના ત્રીજા મોટા નાગરિક સમ્માનને મેળવનાર એ 11 માં ક્રિકેટર હશે.
ધોની આ પહેલા પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર અર્જુન પુરસ્કાર અને પદ્મશ્રી થી સમ્માનિત થઇ ચુક્યા છે. ધોની દુનિયાના એકમાત્ર એવા કેપ્ટન છે જેના નેતૃત્વમાં આઇસીસીના 3 પ્રમુખ પુરસ્કાર મેળવ્યા છે. ભારતીય ટીમએ એમના માર્ગદર્શનમાં 2007 ટી20 વિશ્વકપ 2015 વિશ્વરકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ પોતાના નામે કર્યા હતા.
36 વર્ષીય ધોનીએ 302 વનડેમાં 9737 રન બનાવ્યા. 90 ટેસ્ટ મેચોમાં એ 4876 રન બનાવી ચૂક્યો છે. આ ઉપરાંત એમણે 78 ટી 20 મેચોમાં 1212 રન પોતાના નામે દાખલ કરાવ્યા.