વડોદરા રેવન્યુ વિભાગે સપાટો બોલાવ્યો છે.મનપાની તિજોરી ખાલી થતાં મનપાએ વેરાની વસુલાત માટે લાલ આંખ કરી છે.મનપાએ કાર્યવાહી ધરતા 350થી વધુની કોમર્શિયલ મિલકત સીલ કરી છે. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારના વેરા બાકી રહેતા 2400 જેટલી કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી છે.
80 રહેણાંક વિસ્તારના પાણીના કનેકશન કપાયા છે.વર્ષ 2003થી અત્યાર સુધી અંદાજીત 150 કરોડના વેરા ઉઘરાવવાના બાકી છે.ચાલુ વર્ષના 49 કરોડ અને પાછલા વર્ષોના 100 કરોડ બાકી રહેતા મનપાએ તવાઇ બોલાવી હતી.રાજય સરકાર પાસે 1900 કરોડ લેવાના બાકી છે. આ કામગીરી માર્ચ મહિના સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે આજે સવારથી જ શરૂ થયેલી આ કામગીરીમાં રૂપિયા 50 હજારથી એક લાખ સુધીના બાકી વેરાની વસૂલાત માટે પાલિકાની ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરાઇ હતી.
શહેરના વહીવટી વોર્ડ નં-૧ ખાતે પાલિકા દ્વારા ૩૦ જેટલી મિલકતોને સીલ મારી અને ત્રણ લાખ રૂપિયા જેટલો મિલકતવેરો સ્થળ પર જ વસૂલ કર્યો હતો.જ્યારે અન્ય વિવિધ વોર્ડમાં પણ આશરે 200 દુકાનો અને 350 જેટલી કોમર્શિયલ મિલકતો સીલ કરવામા આવી છે.