ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામોને લઇને આજે ગુજરાત સહિત દેશના તમામ લોકોની નજર પરિણામો પર રહેલી હતી. ત્યારે અંતે પરિણામો જાહેર થતાં ભાજપ અને કોંગ્રેસના ઘણાં નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારે આજે ગુજરાત સરકારના 7 મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો હતો.
આ ટોચના મંત્રીઓમાં શંકર ચૌધરી શબ્દશરણ તડવી કેશાજી ચૌહાણ આત્મારામ પરમાર જશા બારડ ચીમનભાઇ શાપરિયા અને રજની ભાઇ પટેલનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે વિધાનસભાની ચુંટણીને જાહેર થતાંની સાથે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ જાહેરસભાઓ યોજીને પોતાના પક્ષને જીતાડવા માટે ભારે કમર કસી હતી ત્યારે પણ ફરી એકવાર ભાજપનો વિજય થયો હતો. પરંતુ 7 દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો.