નવી દિલ્હી: છઠ્ઠા તબક્કા હેઠળ આજે દિલ્હીની તમામ સાત લોકસભા સીચો પર મતદાન થઇ રહ્યું છે. એ દરમિયાન મોટા રાજનેતાઓએ મતદાન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રાહુલ ગાંધીએ નિર્માણ ભવન સ્થિત મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું.
રાહુલ ગાંધીનું નિવાસ સ્થાન તુગલક રોડ પર છે અને તેમના નિવાસ સ્થાનથી મતદાન મથક માત્ર પાંચસો મીટર દૂર હોવાથી રાહુલ ગાંધી મતદાન કેન્દ્ર સુધી ચાલતા ગયા હતા અને બાદમાં ત્યાં તેઓએ વોટિંગ કર્યું.
વોટિંગ કર્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયા સામે વાતચીત કરી અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, નફરત અને પ્રેમની લડાઈમાં જીત પ્રેમની થશે. જનતા જેટલી સીટો આપશે તેટલી સીટો અમે સ્વીકારીશું. ચૂંટણી જનતાના મુદ્દા પર લડવામાં આવી છે અને એમાં સૌથી જરૂરી મુદ્દો બેરોજગારી અને ખેડૂતોની સ્થિતિ છે. સાથે જ રાહુલે કહ્યું કે નોટબંધી અને ગબ્બર સિંહ ટેક્સથી અર્થવ્યવસ્થાનું જે નુકસાન થયું છે એ પણ એક મોટો મુદ્દો છે. આ ઉપરાંત રાફેલનો મામલો અને ભ્રષ્ટાચાર પણ આ ચૂંટણીનો મોટો મુદ્દો છે.
Congress President Rahul Gandhi after casting his vote: The election was fought on key issues including demonetization, farmer problems, Gabbar Singh Tax and corruption in #Rafale. Narendra Modi used hatred in the campaign and we used love and I am confident love will win pic.twitter.com/gE1BgvQzPc
— ANI (@ANI) May 12, 2019