દિલ્હીની હોટલ અશોકમાં ન માત્ર એનડીએના નેતાઓ માટે ડિનર રાખવામાં આવ્યું પરંતુ અહીં તમામ સહયોગી દળો તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત પણ કરવામાં આવ્યા.
NDAના ડિનરમાં મોદીના સમ્માનમાં પ્રસ્તાવ પાસ
NDAની ડિનર પાર્ટીમાં પીએમ મોદીનું જબરદસ્ત સમ્માન કરવામાં આવ્યું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. આ ડિનરમાં એનડીએના 36 દળોના નેતાઓ સામેલ હતા. પીએમએ આ દરમિયાન કહ્યું કે એનડીએ પહેલાથી વધુ મજબૂત થયું છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા NDAના દિગ્ગજ નેતાઓની આ બેઠક એવા સમયે યોજવામાં આવી છે, જ્યારે 22 વિપક્ષી દળોએ થોડા સમય પહેલા જ ઇવીએમને લઇને ચૂંટણી પંચમાં કેટલીક માંગ સામે રાખી છે.
આ NDAની ડિનર બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમાર, તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલાનીસામી અને LJP પ્રમુખ રામવિલાસ પાસવાન, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સામેલ થયા હતા.
ત્યારે, શિરોમળી અકાળી દળનું પ્રતિનિધિત્વ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને પાર્ટી નેતા સુખબીર સિંહ બાદલે કહ્યું.
અમિત શાહના ડિનરમાં આ પાર્ટીઓ હાજર રહી
એક્ઝિટ પોલથી ગદગદીત અમિત શાહે ડિનરમાં 35 પાર્ટીઓ સામેલ થઇ, જ્યારે ત્રણ પાર્ટીઓ ગેરહાજર દેખાઇ.
એનડીએના નેતાઓએ કહ્યું પીએમ મોદીનું શાનદાર સ્વાગત
Delhi: Visuals from Ashoka Hotel where NDA leaders dinner is underway. PM Narendra Modi felicitated by alliance leaders pic.twitter.com/63apZhSGNG
— ANI (@ANI) May 21, 2019
પીએમ મોદીએ ચૂંટણી પ્રચારને તીર્થયાત્રા ગણાવી
મંગળવારે સાંજે ભાજપ મુખ્યાલય ર પોતાના મંત્રિપરિષદના સભ્યો માટે આયોજિત સ્વાગત અને આભાર મિલન સમારોહમાં પીએમ મોદીએ પોતાના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની સરખામણી તીર્થયાત્રાથી કરી.
I congratulate Team Modi Sarkar for their hard work and remarkable achievements in the last 5 years.
— Chowkidar Amit Shah (@AmitShah) May 21, 2019
Let us keep this momentum going for a New India under the leadership of PM @narendramodi.
Sharing pictures of Aabhar Milan of Union Council of Ministers at BJP HQ, New Delhi. pic.twitter.com/X2sgvJjJ5c