કોંગ્રેસ વધુ પડતા આત્મવિશ્વાસમાં તમામ બેઠકો ગુમાવી હોવાના સૂર ઉઠ્યા છે. ત્યારે પ્રદેશના મોટા નેતાઓ પાસેથી તેનો ખુલાસો માગવામાં આવ્યો છે કે, સંગઠનનું જમ્બો માળખું રચાયું તમ છતા કેમ કોઇ પરિણામ લાવી શક્યા નહીં. ગુજરાતમાં વિવિધ સમાજોની સરકાર સામે નારાજગી હતી તો કોંગ્રેસ તરફેણમાં પરણિામ કેમ ન આવ્યું. આ તમામ બાબતોનો હાઇકમાન્ડને જવાબ આપવો પડશે.
તો બીજી બાજુ જે રાજ્યોમાં કોંગ્રેસને ખરાબ પરિણામ મળ્યા છે ત્યાં પ્રદેશ પ્રમુખે રાજીનામા ધરી દીધા છે. ત્યારે મળતી માહિતી મૂજબ ગુજરાત પ્રદેશ પ્રમુખે નૈતિકતાના ધોરણે રાજીનામાની તૈયારી પણ નથી બતાવી.