હાર્દિક પટેલને લાફો મારવા મુદ્દે અલ્પેશ ઠાકોરે મોટુ નિવેદન આપ્યું છે. અલ્પેશે હાર્દિકને 14 પાટીદારોના મોતનો જવાબદાર ઠેરવ્યો હતો. અલ્પેશે કહ્યું કે, હાર્દિકે 14 પાટીદારોના મોતની જવાબદારી લેવી જોઇએ.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે હાર્દિક પટેલે રાજનીતિ પસંદ કરતા પાટીદાર સમાજમાં રોષ છે. હાર્દિક પટેલના કારણે ગુજરાતની શાનને ઠેસ પહોંચી છે. આંદોલન સમયે હાર્દિકે લોકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા. હાર્દિકના નિવેદનો ઉશ્કેરણીજનક રહ્યાં છે.
વધુમાં તેમણે કહ્યું કે, કોઇ આંદોલનકારીઓ ઉશ્કેરીજનક નિવેદનથી દુર રહેવુ જોઇએ. હાર્દિકે પોતાનો વાણીવિલાસ બંધ કરી દેવો જોઇએ. હાર્દિક પટેલે યુવાનોને ગેરમાર્ગે દોર્યા છે. પાટીદાર સમાજ હવે હાર્દિક સાથે નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણ તાલુકાના બલદાણા ગામે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સોમાભાઈ પટેલના પ્રચાર માટે હાર્દિક પટેલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાર્દિક પટેલ સ્ટેજ પર પ્રવચન કરી રહ્યા હતા તે સમયે સ્ટેજ પર આવી એક શખ્સે હાર્દિક પટેલને જાહેરમાં લાફા ઝીકતા દોડધામ મચી જવા પામી હતી.