નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં જનતા કઇ પાર્ટીને પસંદ કરશે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે, સમગ્ર દેશ એની રાહ જોઇ રહ્યો છે. જેનો અંત 23 મે ના રોજ આવશે જ્યારે ચૂંટણી પંચ વોટોની ગણતરી કરશે અને પરિણામ જાહેર કરશે. પરંતુ મતગણતરીના દિવસે ફાઇનલ પરિણામો માટે વધારે રાહ જોવી પડશે.
ચૂંટણી પંચે જણાવ્યું કે દેશભરની લોકસભા સીટો પર થયેલા મતદાનના પરિણામોમાં 23 મે જાહેર કરવામાં આવશે એમાં થોડો વધારે સમય લાગી શકે છે. એનું માટું કારણ એ છે કે ઇવીએમના વોટોથી વીવીપેટનું મિલાન કરવું, જેમાં થોડો વધારે સમય લાગશે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પરિણામ 4 થી 5 કલાક મોડું થઇ શકે છે. જણાવી દઇએ કે હાલની લોકસભા ચૂંટણીમાં ઇવીએમની સાથે વીવીપેટ મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યા છે. જેનાથી વોટ નાંખવા પર ચિઠ્ઠી પણ નિકળે છે. એવામાં જ્યારે 23 મે એ વોટોની ગણતરી કરવામાં આવશે તો ઇવીએમમાં પડેલા વોટથી ચિઠ્ઠીનું મિલાન પણ કરવામાં આવશે.
જણાવી દઇએ કે પહેલા દરેક સીટ પર એક ઇવીએમની સાથે એક વીવીપેટ લગાવવામાં આવતું હતું, જેની વિપક્ષની માંગ બાદ વધારીને દરેક વિધાનસભામાં 5 આપવામાં આવ્યા. જો કે વિપક્ષ હજુ પણ વધુ VVPAT લગાવવાની માંગ કરી રહ્યું છે અને આ જ મુદ્દે 21 પાર્ટીઓએ મળીને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે 7 મેના રોજ ફગાવી દીધી હતી.