ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આજે પાલનપુરમાં જનાસભા યોજી હતી. પાલનપુર- આબૂરોડ પર આવેલી હોટલ સર્જનમાં અલ્પેશ ઠાકોરે જનસભા યોજી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પણ કઈ પાર્ટીમાં જોડાવું તે અંગે લોકોના અભિપ્રાય જાણવા માટે પાલનપુરમાં જનસભા યોજી હતી.
પાલનપુરથી અલ્પેશ ઠાકોરે જનસભાનો પ્રારંભ કર્યો છે ત્યારે આ જનસભામાં અલ્પેશ ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોર કઈ પાર્ટીમાં સામેલ થશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે ત્યારે અલ્પેશ ઠાકોરે પોતે જણાવ્યું છે કે તે કઈ પાર્ટીમાં સામેલ થશે તે અંગેની ઔપચારિક જાહેરાત 9મી ઓકટોબરે કરવામાં આવશે. બનાસકાંઠામાં પૂરની સ્થિતિ બાદ સરકાર તરફથી જે સહાય કરવામાં આવી હતી તેને લઈને અલ્પેશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.