અમદાવાદઃ વીએચપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા બે દિવસ પહેલા ગુમ થયા કે તરત જ મહામંત્રી રણછોડ ભરવાડે પ્રવીણ તોગડિયાને શોધી લાવવા માટે ક્રાઈમબ્રાંચમાં અરજી કરી હતી. જોકે પ્રવીણ તોગડિયા બેભાન અવસ્થામાં બે દિવસ પહેલા જ મળી આવ્યા હતા.
ત્યારે હવે VHP મહામંત્રી રણછોડ ભરવાડે પ્રવીણ તોગડીયાને શોધવા ક્રાઈમબ્રાંચમાં કરેલી અરજી પાછી ખેંચવા માગ કરી છે. જે અંગે તેમણે એક અરજી આપી છે. સાથે જ ક્રાઈમબ્રાંચને પત્ર લખી માગણી કરી છે કે તોગડિયા અને વિહિપ કાર્યકરોને હેરાન કરવામાં ન આવે.
ઉલ્લેખનીય છે કે Z સિક્યોરિટી ધરાવતા VHP અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ગુમ થયાની વાત ચર્ચાઇ હતી. ત્યારે પ્રવીણ તોગડિયા મળી આવ્યા હોવાના સમાચાર મળી આવ્યા હતાં. પ્રવીણ તોગડિયા શાહીબાગ હોસ્પિટલમાં હોવાની માહિતી મળી હતી. પ્રવીણ તોગડિયાને બેભાન અવસ્થામાં શાહિબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.