આણંદ જિલ્લામાં આવેલા ખંભાતના વટાદરા ગામે ડૂબી જવાથી ત્રણ બાળકના મોત થયા છે.તળાવમાં ન્હાવા પડતા ત્રણેય બાળકોના કરુણ મોત થયા છે.
બાળકોના મોત થતાં બાળકોના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.બીજી તરફ પોલીસ અને ફાયર વિભાગની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે.
આણંદ જિલ્લાના ખંભાત વટાદરા ગામે આવેલ તળાવમાં ગતરોજ 3 મિત્રો ન્હાવા ગયા હતા મોડી સાંજ સુધી ઘરે પરત ના આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી જેને પગલે તળાવમાંથી ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તુટી પડ્યું હતુ.
આ ઘટનાને પગલે ત્રણેયના મૃતદેહને પી.એમ માંટે નજીકના સરકારી દવાખાને મોકલી આપેલ.આ ઘટનાની વધુ તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી હતી.