મહેસાણાઃ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ વિક્રમ પટેલનું નિધન થયું છે. વિક્રમ પટેલ પાટીદાર સમાજ અને ઊંઝામાં દાદાના હુલામણા નામથી જાણીતા હતા. વિક્રમભાઇ પટેલના દેહને વડનગર મેડિકલ કોલેજને અર્પણ કરાશે. ચાણસ્મા પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઇ રહી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખનું નિધન થવાથી સમાજમાં શોકની લાગણી ફેલાઇ હતી. તેઓ કડવા પાટીદાર સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જેમની ઉમિયા માતા સંસ્થાનનાં પ્રમુખપદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે વિક્રમ પટેલ આ પૂર્વે ચાણસ્માનાં ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ અગાઉ ઉમિયા માતાજી સંસ્થાનનાં મંત્રી તરીકે સેવા આપી ચુક્યા હતા. વિક્રમ પટેલ પાટીદાર સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પણ રહ્યા હતા.