અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ સોમવારે જાહેર થશે. ત્યારે તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. મહત્વનુ છે કે ચૂંટણી EVM અને VVPAT મશીનથી યોજવામાં આવી હતી. અને હાલમાં આ EVM અને VVPAT મશીનો એલ.ડી.એન્જીનિયરિંગ કોલેજ ખાતે મુકવામાં આવી છે.
જેના ભાગરૂપે તંત્ર દ્વારા કોલેજના મુખ્ય ગેટથી દાદા સાહેબના પગલા ચાર રસ્તા સુધી રૂટ બંધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પાંજરાપોળથી એકસાઈઝ ચોકી ત્રણ રસ્તા સુધી પણ રસ્તો બંધ રખાયો છે. જેનુ વેકલ્પિક રૂટ દાદા સાહેબના પગલા ચાર રસ્તાથી એ.જી ચોકી થઈને એસ.જી દેસાઈ માર્ગથી સેન્ટ ઝોવિયર્સ કોલેજ થઈને સુરજમલ ઝવેરી માર્ગથી પાંજરાપોળ સુધી રાખવામાં આવ્યુ છે. ઈન્દર રેસીડેન્સી હોટલ ટીથી ગુજરાત કોલેજ બ્રિજ સુધી પણ વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં આવ્યુ છે.