વડોદરામાં સંજયનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂપિયા 2 હજાર કરોડના કૌંભાંડ થયુ છે. તેના પર કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. તે સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કોંગ્રેસે જણાવ્યું હતું કે 2 હજાર કરોડના કૌભાંડના પુરાવા બતાવવામાં આવે નહિંતર પબ્લિકની પ્રોપર્ટીને પબ્લિકના હિતમાં કામ કરવામાં આવે. આ કૌભાંડનો 7 દિવસમાં રિપોર્ટ નહિ આવે તો કોંગ્રેસ પક્ષ પ્રધાનમંત્રી રાજ્યપાલ મુખ્યમંત્રી સાંસદ ધારાસભ્ય અને મેયરને રજુઆત કરવામાં આવશે અને કૌભાંડીને પ્રજાની સામે ખુલ્લો કરવામાં આવશે.