સુરતમાં પાટીદારોએ કોંગ્રેસ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવ્યા છે. મોટા વરાછામાં અને ઓલપાડ વિધાનસભાની બેઠકને લઇને પાટીદારોએ આ પોસ્ટર્સ લગાવ્યા છે.
બેનરમાં માગણી કરવામાં આવી છે કે ઉમેદવાર પસંદગીમાં પાટીદાર ઉમેદવાર પસંદ કરવાની માગ કરી છે. સાથે જ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે પાટીદારોની લાગણીને ધ્યાન નહીં અપાય તો કોંગ્રેસ સાફ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચુંટણીનો માહોલ ખાસ જામ્યો છે ત્યારે વિવિધ પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે ખાસ પ્રયાસો હાથ ધરી રહી છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપમાટે માંથાના દુખાવા સમાન બનેલ પાટીદાર આંદોલનનો અંત લાવવાનો પણ ખાસ પ્રયાસ કર્યો હતો.
અત્રે જણાવી દઇએ કે પાટીદારી નેતાઓની કોંગ્રેસ સાથે બેઠક યોજાઇ હતી પરંતુ તેમાં ખાસ વાત બની નહોતી ત્યારે આજે ગુજરાતના સુરત ખાતે કોંગ્રેસ વિરૂધ્ધ પાટીદોરોએ પોસ્ટર લગાવતા રાજકારણ ગરમાયુ હતું