બાર્સેલોનાઃ સ્પેનના બાર્સીલોનામાં સિટી સેન્ટરમાં આતંકી હુમલાનો શિકાર બન્યું હતું. સ્પેન શહેરમાં આવેલા બાર્સીલોનામાં ગુરુવારે સાંજે એક વેને ભીડવાળા વિસ્તારમાં લોકોને
કચડી નાખ્યા હતા. શરૂઆતમાં આતંકી હુમલામાં બે લોકોના મરી જવાના સમાચાર મલ્યા હતા પણ ત્યાર બાદ 13નાં મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જ્યારે 100 થી વધુ સંખ્યામાં લોકો આ બનાવમાં ઘાયલ થયા હોવાની ખબર મળી છે. બાર્સિલોના પોલીસે આ આંતકી હુમલામાં પાંચ આતંકી
લોકોને મારવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હુમલા બાદ વેન ક્રેસ થઈ ગઈ હતી અને તેમાં સવાર બે હમલાખોર એક રેસ્ટોરામાં જતા રહયા હતા. પોલીસ દ્વારા આ ઘટનાને લઈને કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેમણે બે સંદિગ્ધોની ધરપકડ કરી છે. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે તેની જવાબદારી લીધી છે.
ઘટના સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે હમલા બાદ એમ્બ્યુલન્સ આવીને ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આતંકીની વેન આવતાની સાથે રસ્તાઓ પરઅફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ત્યાં સ્થાનિક પત્રકારનું કહેવું છે કે બંદૂક ચાલવાનો અવાજ સંભળાયો. માનવામાં આવી રહ્યું છે કે વેનમાં બેઠેલા હુમલાખોરોએ પહેલા પગપાળા જઈ રહેલા લોકોને મારવાની કોશિશ કરી છે. હુમલાની સૂચના બાદ બાર્સિલોના મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે.પ્રાંતીય ગૃહ મંત્રી જોકીંમ ફોર્નનું કહેવું છે કે આ હુમલામાં મોત થયા હોવાની સંખ્યા વધી પણ શકે છે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ટ્વિટ કરીને કહી રહ્યા છે કે તેઓ સ્પેનમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે.અત્યાર સુધી મળેલી માહિતીમાં કોઈ ભારતીયના મૃત્યુની ખબરો નથી. તેમણે ટ્વિટર પર બાર્સિલોના હુમલા માટે ઈમર્જન્સી નંબર +34-608769335 પણ આપ્યો છે.
પોલીસે એ સ્થાનિક નિવેદનમાં જણાવ્યું છે કે ‘બાર્સિલોનાના લોસ રામબ્લાસ વિસ્તારમાં એક વ્યક્તિએ વાહનને ટક્કર મારી છે જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે.’ જે વિસ્તારમાં આ ઘટના બની તે બાર્સિલોનાનો જાણીતો અને વ્યસ્ત વિસ્તાર છે. રામબ્લાસમાં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે અને રાતે મનોરંજન કાર્યક્રમ ચાલતા રહેતા હોય છે.આ પહેલા વર્ષ 2004માં થયેવલા હુમલામાં 191 લોકોના મોત થયા હતા.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે ‘અમેરિકા સ્પેનના બાર્સિલોનામાં આતંકી હુમલાની નિંદા કરે છે અને શક્ય તમામ સહાય કરવામાં આવશે.’