રૂ.50ની નવી નોટની જાહેરાત પછી ટૂંક સમયમાં તમને રૂ.200ની નોટ જાહેરાત કરવામાં આવશે. RBI દ્વારા કેટલીક રીતે નકલી નોટો પર લગામ લગાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે ભારતીય રિઝર્વ બેન્કે પ્રથમ વખત રૂ.200ની નોટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આ અંગે જાહેરાત કરવામાં આવશે.જેનો હેતુ અર્થતંત્રમાં કાળું નાણું ઘટાડવાનો છે. સૂત્રોના અનુસાર રૂ.200ની 50 કરોડ નોટ માર્કેટમાં લાવામાં આવશે.
સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર રૂ.100 અને 500ના વચ્ચે કોઇ નોટ લાવવામાં આવી નથી તે કારણોથી RBIના અનુસાર રૂ.200ની નોટ ખૂબ ઉપયોગી થશે અને તેનાથી નોટોની ઉપલબ્ધતાની ખાતરી પણ રહેશે.'
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ ઇકનોમિસ્ટ સૌમ્ય ક્રાંતિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મોટી સંખ્યામાં નવી નોટ આવવાથી સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નોટબંધી પછી જ્યારે રૂ.2000ની નોટ આવી ત્યારે તેને લાગતા કેટલાક મામલાઓ સામે આવ્યા હતા જેમાં નકલી નોટ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રૂ.200ની નોટ લાવાનો ઉદ્દેશ ટેક્સ વિના કેસ રાખવાવાળા લોકો માટે છે.