નવી દિલ્હી: હવે દેશમાં ઇસ્લામિક બેંક ખુલશે નહીં ભારતીય રિઝર્વ બેંકે દેશમાં ઇસ્લામિક બેંક ખોલવાની પરવાનગી નહીં આપવાનો નિર્ણય લીધો છે. સૂચનાના અધિકાર હેઠળ માંગવામાં આવેલી જાણકારીના જવાબમાં RBI એ જણાવ્યું દરેક નાગરિકોને નાણાકીય અને બેંકિંગ સેવાઓના સમાન અવસરની ઉપલબ્ધતાને ઘ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇસ્લામિક અથવા શરિયા બેંકિંગ એવી નાણાકીય વ્યવસ્થા છે જે વ્યાજ નહીં લેવાના સિદ્ધાંતો પર આધારિત છે. એનું કારણ એ છે કે ઇસ્લામમાં વ્યાજ લેવાનું હરામ માનવામાં આવે છે. ભારતમાં ઇસ્લામિક બેંક ખોલવાના પ્રસ્તાવ પર સરકાર અને RBI એ વિચાર કર્યો. ત્યારબાદ એને નહીં ખોલવાનો નિર્ણય લીધો.
ઇસ્લામિક વ્યવસ્થાને લઇને RTI હેઠળ માંગી ગઇ જાણકારીના જવાબમાં કેન્દ્રીય બેંકે કહ્યું કે દરેક નાગરિકોને બેંકિંગ અને નાણાકીય સેવાઓ વિસ્તૃત અને સમાન રૂપથી ઉપબલ્ધ છે. જો કે ઇસ્લામિક બેંકને ખોલવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
ઇસ્લામિક બેંકિંગ વ્યવસ્થા એક વ્યાજ મુક્તિ બેંકિંગ વ્યવસ્થા છે. આરટીઆઇ હેઠળ આરબીઆઇથી વ્યાજ મુક્ત બેંકિંગની દિશામાં ઉઠાવવામાં આવતાં પગલાની જાણકારી માંગવામાં આવી હતી. ો