વારાણસીના અસ્સી ઘાટ પર સોમવારથી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા રસ બનારસની શરૂઆત થઇ જેમાં સંસ્કૃતિ કળા શિલ્પ અને ખાનપાનનો સંગમ જોવા મળી રહ્યો છે.22 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ઉત્સવમાં ભારતીય પરંપરા અને તેની ભવ્ય ઝાંખી જોવા મળનાર છે.આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ મેળામાં પારંપરિક લોક નૃત્ય આદિવાસી લોકનૃત્યની સાથે હસ્તકળા હસ્તશિલ્પ અને પારંપારિક વાનગીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.આ મહોત્સવમાં 40 જેટલા સ્ટોલ લગાડવામાં આવેલા છે.
હરિયાણાનું પરંપરાગત વાદન મણિપુરનું લાઇહરોબા UPનું લોકનૃત્ય મિઝોરમનું ચેરાવ ઝારખંડનું છરૂ અને રાજસ્થાનનું કચ્ચી ઘોડી નૃત્ય દર્શકોમાં ખાસ ચર્ચાનો વિષય બનેલ છે.મેળાના આયોજકના જણાવ્યા પ્રમાણે ભારતના દરેક રાજ્યની સંસ્કૃતિની ઝાંખી આ રસ બનારસમાં જોવા મળશે.
મેળામાં મણિપુર UP ઉત્તરાખંડ કોલકત્તા રાજસ્થાન હરિયાણા જેવા અનેક પ્રદેશોના શિલ્પકર્મીઓ આ મેળામાં ભાગ લઇ પોતાની કળાને લોકો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે.આ મેળામાં 21 અને 22 દિનાંકના રોજ સાંસ્કૃતિક સંધ્યાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
21 તારીખના રોજ માનમંદિર ઘાટ પર અવંતિકા મિશ્રનું તબલાવાદન પંડિત નરેન્દ્ર મિશ્રનું સિતાર વાદન સાથે સૌરવ-ગૌરવનું કથક નૃત્ય અને સંજીવ અને અશ્વિની શંકરનું શરણાઇ વાદનની પ્રસ્તુતિ કરવામાં આવશે.22 તારીખના રોજ સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમમાં માલિની અવસ્થીનું ઠુમરી નૃત્ય તથા અન્ય કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયન કરવામાં આવશે.