અમેઠી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર પોસ્ટર વોર શરૂ થયું છે. અમેઠીમાં કેટલાક પોસ્ટર વહેતા થયા છે જેમાં રાહુલ ગાંધીને રામ સ્વરૂપે જ્યારે પ્રધાનમંત્રી મોદીને રાવણ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે.
વધુમાં આ પોસ્ટરમાં રામ રાજ પાછુ ફર્યું એમ 2019માં રાહુલ રાજ પાછું ફરશે તેવા દાવો કરવામાં આવ્યું છે. અભય શુક્લા નામની એક વ્યક્તિએ આ પોસ્ટર લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ લખનઉમાં રાહુલ ગાંધીના કૃષ્ણ રૂપી પોસ્ટર લગાવવમાં આવ્યા છે.
લખનઉમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને આ પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે સંઘર્ષથી વિજય તરફ જઈ રહેલા બે મહારથી આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને શ્રીકૃષ્ણ કહેવામાં આવ્યુ છે.. આ પોસ્ટરમાં અભિષેક વાજપેયી અને રાહુલ અવસ્થીનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે.