ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પણ ભાજપના કેટલાક સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ છે.
જેમાં અમરેલીથી બાવકુ ઉઘાડ બાબરાથી ગોપાલભાઈ વસ્ત્રાપરા રાજુલાથી હિરાભાઈ સોલંકી ધારીથી દિલિપ સંઘાણી પોરબંદરથી બાબુભાઈ બોખિરિયા વાવથી શંકર ચૌધરી મહેસાણાથી નીતિન પટેલ રાજકોટ પશ્ચિમથી વિજય રૂપાણી અને વઢવાણથી આઈ કે જાડેજા અને વિરમગામથી તેજશ્રીબેન પટેલ ચૂંટણીના મેદાને ઉતરશે.
તો માણસાથી અમિતભાઈ ચૌધરી જામનગર ગ્રામ્યથી રાઘવજીભાઈ પટેલ જામનગર ઉત્તરથી ધર્મેદ્રસિંહ જાડેજાને ટીકિટ મળી શકે છે. તો માંગરોળથી ગણપત વસાવા સાણંદથી કનુભાઈ પટેલ અને વટવાથી પ્રદિપસિંહ જાડેજાને ટિકિટ મળી શકે છે.