નાગપુર: મહારાષ્ટ્રમાં શરદ પવાર અને તેમની પાર્ટી NCP લાંબા સમય બાદ કોંગ્રેસ સાથે સંબંધો મજબૂત કરી રહ્યા છે. હવે ખુદ શરદ પવાર કહી રહ્યા છે કે આ દોસ્તી અમે નહીં તોડીએ. આ બદલાવ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ ચાલી રહેલી હવાની અસર છે.
હવે શરદ પવારને લાગી રહ્યું છે કે કોંગ્રેસ જ એક માત્ર વિકલ્પ છે. જેથી બિમાર હોવા છતાં શરદ પવાર નાગપુર પહોંચ્યા અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને સાથે લઈને ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર વિરુદ્ધ જન આક્રોશ હલ્લા બોલ રેલી કાઢી. આ સાથે શરદ પવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે પીએમ મોદીએ પોતાના પદની ગરિમા ગુમાવી દીધી છે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનો પાકિસ્તાન સાથે સંબંધ જોડવા માટે ભાજપને શરમ આવવી જોઈએ. શરદ પવારે કહ્યું કે મનમોહનસિંહની વિશ્વસનિયત બેદાગ છે અને ગુજરાત ચૂંટણી જીતવા માટે તેમના પર પાકિસ્તાનની મદદનો આરોપ લગાવવો અયોગ્ય છે. એટલું જ નહીં શરદ પવાર રાહુલ ગાંધીની લીડરશીપ માનવા માટે તૈયાર ન હતા.
જોકે હવે રાહુલ ગાંધીને કોંગ્રેસના સારા અધ્યક્ષ બતાવી રહ્યા છે. પવાર જાણે છે કે હવે કામ તો રાહુલ ગાંધી સાથે જ કરવાનું છે.
પ્રધાનમંત્રી જે રીતે ભાષણ કરી રહ્યા છે મણિશંકર અને મનમોહનને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ દુનિયાની કોઈ વ્યક્તિ મનમોહનસિંહ પર શંકા ન કરી શકે. ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે પાકિસ્તાનમાં પ્લાન ઘડાયો તેવી વાત કરે છે તે શરમજનક છે. આ પ્રકારનો વાંધો ઉઠાવે તે શરમને પાત્ર છે.