વડોદરા: રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીમાં જીતની ભૂમિકા બાંધવા માટે વાર-પલટવારમાં દિગ્ગજો રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે.
ત્યારે આજે વડોદરામાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ વિશાળ જનસભા સંબોધી હતી. અને લોકોને વિકાસ કે વિનાશમાંથી પસંદગી કરવાનું પણ જણાવી દીધું હતું.
જનસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરવા માટે તેમણે વડોદરામાં તહેવારોના ભૂતકાળને તાજા કરાવ્યા હતા. અને જનમાનસમાં ફરી ભૂતકાળની અશાંતિ તાજી કરાવી હતી.
સાથે જ પ્રધાનમંત્રીએ વડોદરાવાસીઓના બલિદાને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કેતમારા બલિદાનના કારણે ઉારપ્રદેશમાં ભાજપ ભાજપ થઈ ગયું છે. અને નજીકના ભવિષ્યમાં ગુજરાતની જેમ જ ઉત્તરપ્રદેશનો પણ વિકાસ થશે..
વડોદરાના સાંસદથી રાજીનામું આપી કાશી ગયો: PM
આજે આખું ઉત્તરપ્રદેશ ગુજરાતની જેમ ભાજપ ભાજપ થઇ ગયું: PM
જેમ ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખિલ્યો તેમ યુપીનો પણ ખીલશે: PM
આ ચૂંટણીમાં તમારે નક્કી કરવાનું છે વિકાસ જોઇએ કે વિનાશ? : PM